Lata Mangeshkar - Vaishnav Jan to Tene Kahiye Je Lyrics

Lyrics Vaishnav Jan to Tene Kahiye Je - Lata Mangeshkar




વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન આણે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે
નિંદા કરે કેની રે
મન નિર્મળ રાખે
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય બોલે
પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
મોહ માયા વ્યાપે નહિ જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
વણ લોભી ને કપટ રહિત છે
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન આણે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે



Writer(s): Narsinh Mehta, Hridaynath Mangeshkar


Attention! Feel free to leave feedback.